માળીયાના ચાંચાવદરડા ગામે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવની ઉજવણી

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે શાક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ચાંચાવદરડા ગામે સ્વામીનારાયણ સંપ્રદાયના દાતાઓના સહકારથી તા. 25ને શનિવારે શાકોત્સવનું આયોજન કરેલ હતું. જે નિમિત્તે ગત તા. 24ના રોજ મહાપુજા અને રાસમંડળ તેમજ તા. 25ના રોજ સંતોના સામૈયા, સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી શ્રીજીપ્રકાશદાસ, સ્વામી ભક્તિનંદનદાસ અને નકલંકધામના દામજી ભગતે ઉદબોધન કર્યું હતું. તેમજ સ્વામી વૃંદાવનદાસ, સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તોએ શાકોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text