વાડીએ પાણી વાળતી વખતે પાણીના ધોરીયામાં પડી જતા યુવાનનું મોત

- text


હળવદના મયુરનગર ગામની સીમમાં બનેલી કરુણ ઘટના

હળવદ : હળવદના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીએ પાણી વાળતી વખતે પાણીના ધોરીયામાં પડી જતા યુવાનનું મોત થયું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કરુણ ઘટનાની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના મયુરનગર ગામેં રહેતા કાળુભાઇ સુખાભાઇ ચાવડા (ઉ.વ.૪૫) નામના યુવાન ગત તા.૧૬ ના રોજ પોતાની વાડીએ હતા. તે દરમ્યાન કોઇ કારણસર પાણી વાળતી વખતે પાણીના ધોરીયામાં પડી જતા બેભાન હાલતમાં પ્રથમ સારવાર હળવદ બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમનું ગત તા.૨૦ ના રોજ મોત નીપજ્યું હતું.આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text