ટ્રેકટરચાલકે છોટા ઉદેપુર રૂટની એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો

- text


વાંકાનેર નજીક વડસર અને રાતીદેવરી વચ્ચે બનેલો બનાવ : સદભાગ્યે જાનહાની ટળી

વાંકાનેર : વાંકાનેર નજીક વડસર અને રાતીદેવરી વચ્ચે પુરપાટ ઝડપે આવતા ટ્રેકટર ચાલકે છોટા ઉદેપુર રૂટની એસટી બસ સાથે અકસ્માત સર્જતાં એસટી બસમાં નુકશાન પહોંચ્યું હતું. જો કે આ અકસ્માતમાં જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર એસટી ડેપોના ડ્રાઇવર રાજેશભાઇ હસમુખભાઇ ભટી છોટાઉદેપુર રૂટની બસ લઈને આવતા હતા ત્યારે વડસર અને રાતીદેવરી વચ્ચે સામેથી આવતા ટ્રેકટર નંબર GJ -03 EA 5064ના ચાલકે બસ સાથે ટ્રેકટર ટકરાવતા બસના ડ્રાઇવર સાઈડના ભાગમાં તેમજ કાચમાં નુકશાન પહોંચ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રેકટર ચાલક નાસી છુટતા એસટી બસના ચાલક રાજેશભાઇ હસમુખભાઇ ભટીએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા વાંકાનેર સિટી પોલીસે કલમ-૨૭૯, તથા એમ.વી.એ કલમ-૧૮૪,૧૩૪,૧૭૭ મુજબ ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેકટર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text