હરબટિયાળીમાં આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ યોજાયો

- text


 

200થી વધુ લોકોએ લાભ લીધો

ટંકારાઃ ટંકારાના હરબટિયાળી મુકામે આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની સુચના અનુસાર નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં 87 લોકોએ આયુર્વેદ નિદાન અને સારવારનો તેમજ 130 લોકોએ હોમિયોપેથી નિદાન અને સારવારનો લાભ લીધો હતો. આ ઉપરાંત 200 લોકોએ યોગ પ્રશિક્ષણ, 762 લોકોએ કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક શમશમની વટી તેમજ 432 લોકોએ કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક હોમિયોપેથી દવાનો લાભ લીધો હતો.

- text

આ કેમ્પમાં મોરબી જિલ્લાના સરકારી આયુર્વેદ તથા હોમિયોપેથી તબીબોએ સેવા આપી હતી. જેમાં ડો. જે.પી. ઠાકર (મે. ઓ.હોમિયોપથી ટંકારા), ડો. એન. સી. સોલંકી. (મે. ઓ. હોમિયોપેથી નવા ઘનશ્યમગઢ તા. હળવદ), ડો. વિજય નંદેરિયા (મે. ઓ. હોમિયોપેથી કોયલી, તા. મોરબી), ડો. દિલીપ વિઠ્ઠલપરા મે. ઓ. આયુર્વેદ પીપળીયા રાજ, તા. વાંકાનેર), ડો. વિરેન ઢેઢી મે. ઓ.આયુર્વેદ લખધીરનગર) વગેરેએ દર્દીઓનું યોગ્ય નિદાન કરી સારવાર પૂરી પાડી હતી.

- text