ટંકારાના ખીજડિયા ગામે તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી

- text


બારૈયા પરિવારના સુરાપુરાના મંદિરમાંથી 12થી 15 હજારની ચોરી

ટંકારા : શિયાળાના પગરવ સાથે તસ્કરો પણ ચોરીને અંજામ આપવા સજ્જ બન્યા હોય તેમ ગતરાત્રીના ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે તસ્કરોએ મંદિરને નિશાન બનાવી દાનપેટી તોડી 12થી 15 હજારની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ બારૈયા પરીવારના સુરાપુરાના મંદિરમા અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી રૂપિયા 12થી 15 હજારની ચોરી કરતા આ મામલે નરશીભાઇ અવચરભાઇ બારૈયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

સુરપુરા દાદાના મંદિરમાં ચોરી થવા મામલે નરસીભાઈ બારૈયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ-૩૮૦, ૪૫૭, મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text