- text
મોરબી : મોરબી નજીક આવેલા વિરપર ગામે આવેલા કામધેનુ આશ્રમ ખાતે તા.20 ને બુધવારે શરદ પૂનમના અવસરે રાત્રે 9-30 કલાકે ગૌસેવા યુવક મંડળ વિરપર, સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી રજૂ કરવામાં આવશે. સાથેસાથે પેટ પકડીને હસાવતું હાસ્ય કોમિક દામલાના ભવાડા પણ પ્રસ્તુત કરવામાં આવશે. આથી લોકોને આ નાટક નિહાળવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
- text