કુવામાં પડી જતા ખેતશ્રમિકનું મોત

- text


વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમા બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમા આવેલા કુવામાં પડી જતા ડૂબી જવાથી શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉ.વ.૩૫) નામનો શ્રમિક ગઈકાલે તા.૨૧ ના રોજ કોઇપણ કારણોસર કોઇપણ રીતે પ્રતાપગઢ ગામની સીમમાં ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ આવેલા કુવામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ મોરબીમાં ખસેડાયો હતો.

- text

આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પો.હેઙ કોન્સ. પી.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text