વાછકપર ગામે પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં તરુણનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં સારવાર દરમિયાન તરુણનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાછકપર ગામમાં રહેતા 15 વર્ષીય ગંગાદાસ કાળુભાઇ પરમાર ગઇકાલે કોઇપણ કારણોસર પાણી ભરેલા ખાડામાં ડુબી જતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ફરજ પરના ડો.એ મૃત જાહેર કર્યા છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text