જન આશીર્વાદ યાત્રા આવતીકાલે હળવદ પહોંચશે

- text


જન આશીર્વાદ યાત્રાને આવકારવા હળવદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તત્પર

હળવદ : આવતીકાલે જનઆશીર્વાદ યાત્રાનું હળવદમાં આગમન થવાનું હોય ભારતીય જનતા પાર્ટીના સમર્થકો આ યાત્રાને આવકારવા માટે તત્પર બન્યા છે.

તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયું જેમાં સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે નવનિયુક્ત તમામ કેન્દ્રીય મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઈને પોતાના મતવિસ્તારમાં જઈને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જવાબદારી સોંપાઈ છે. જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈને આવતીકાલે તારીખ ૧૭ ને મંગવારે હળવદ તાલુકાની જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવી રહ્યં છે.

- text

આ જન આશીર્વાદ યાત્રા માટેલધામ થઈને શિવપુર, માથક, કડીયાણા, સુંદરગઢ, શિરોઇ, માનસર થઈને હળવદ આવશે અને શિશુમંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે સભા યોજાશે. આ કાર્યક્રમને લઈને હળવદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને જનાશીર્વાદ યાત્રાને આવકરવા માટે હળવદના નાગરિકો પણ ઉત્સુક છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text