મગફળી પાકમાં ફૂગ નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન

- text


આગામી સપ્તાહમાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં પિયત આપવું હિતાવહ

મોરબી : મગફળી પાકમાં ફૂગજન્ય ઉગસુક રોગનો ખતરો જોતા ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા અનુસાર એસ્પરજીલસ નામની ફુગથી થતો ઉગસૂક એક રોગ છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બિજાણુંઓ તેના પર છવાયેલા હોય છે. વાવેતર બાદ લગભગ દોઢ માસ સુધી નુકશાન કરે છે. ચોમાસું લંબાય તો તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠનાં ભાગેથી ઢળી પડે છે.

- text

ખેડૂતોને ઉગસુક રોગના નિયંત્રણ અને અટકાવવા માટેના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આગામી સપ્તાહમાં વરસાદ  ખેંચાવવાનાં સંજોગોમાં પિયત આપવું. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે આંતર ખેડ મુલતવી રાખવી. બે ઈંચથી વધારે ઊંડું વાવેતર કરવું નહિ. ઘઉં અને ચણા સાથે પાક ફેરબદલી કરવી. ટ્રાયકોડરમાં ફૂગ આધારિત પાવડર ૨.૫ કિ.ગ્રા  ૩૦૦-૫૦૦ કિ.ગ્રા એરંડી ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં એક એકરમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. કાર્બેન્ડાજિમ ૫૦ ટકા વે.પા. ૨.૫ ગ્રામ અથવા કાર્બોકીસન ૩૭.૫ ટકા + થાયરમ ૩૭.૫ ટકા ડીએસ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી ઉગસુકનાં રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

- text