હળવદ-માળિયાના અગરિયા પરિવારોને ‘જળ જીવન મિશન’ હેઠળ આવરી લેવા માંગ

- text


રણ વિસ્તારમાં પાણીના ટેન્કરને બદલે કાયમી યોજના સાકાર કરી પાઈપલાઈન મારફત પાણી આપવા જિલ્લા પંચાયત પ્રમુખની રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને માળીયા પંથકમાં મીઠું પકવતા અગરિયા પરિવારો માટે કાયમી પીવાના પાણીની સમસ્યા ઉકેલવા મિશન જળ જીવન હેઠળ આવરી લેવા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરાએ રાજ્યના પાણીપુરવઠા મંત્રીને રજૂઆત કરી અંતરિયાળ મીઠું પકવતા હળવદ અને માળીયા વિસ્તારના અગરિયા પરિવારો માટે કાયમી પાણી યોજના સાકાર કરવા માંગ ઉઠાવી છે. રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે અગરિયા પરિવારોને હાલમાં ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે તેના બદલે મિશન જળ જીવન અંતર્ગત અગરિયા પરિવારોને પીવાના પાણી માટે ઓવરહેડ ટેન્ક અને કાયમી લાઈન નાખી પ્રશ્ન ઉકેલવા જણાવાયું છે.

- text