ઘરમાં ઉપાશ્રય બનાવીને દિવંગત પત્નીની અંતિમ ઈચ્છા પૂરતી કરતા સદગૃહસ્થ

- text


લીંબડી અજરામર સંપ્રદાયના જૈન મુનિએ ઉપાશ્રયની મુલાકાત પ્રભાવિત થયા

મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા જૈન સદગૃહસ્થએ પોતાના દિવંગત પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા ઘરમાં જૈન ઉપાશ્રય બનાવ્યું છે અને સાધુ સંતોને રહેવા સહિતની સગવડો પુરી પાડવા આ ઉપાશ્રય બનાવીને તેઓએ પત્નીની ઈચ્છા પૂરી કરી છે અને લીંબડી અજરામર સંપ્રદાયના જૈન મુનિએ ઉપાશ્રયની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા.

- text

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આવેલ નટવર પાર્કમાં રહેતા પ્રવીણભાઈ મહેતાના દિવંગત પત્ની નિરુબેને તેમની સમક્ષ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેઓએ તેમના ઘર નજીક ઉપાશ્રય બનાવે જેથી સાધુ-સંતો રહેવા માટે પૂરતી સગવડો મળી રહે. પત્નીની પવિત્ર ઈચ્છા પૂરી કરવા પ્રવીણભાઈ મહેતાએ પોતાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપાશ્રય બનાવ્યું છે. દરમિયાન લીંબડી અજરામર સંપ્રદાયના જૈન મુનિ ડો.નિરંજન મુનિ મહારાજ અને ચેતન મુનિ મહારાજ તાજેતરમાં મોરબીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પ્રવીણભાઈ મહેતાની વિનંતીથી જૈન મુનિએ તેમના ઘરે બનાવેલા ઉપાશ્રયની મુલાકાત લીધી હતી અને ઉપાશ્રયની મુલાકાત લઈને તેઓ પ્રભાવિત થયા હતા.

- text