હળવદના ધ્રાંગધ્રા રોડ ઉપર અજવાળા કરવા સ્ટ્રીટ લાઈટનો કેબલ બદલવાની કામગીરી શરૂ

- text


છેલ્લા એકાદ મહિનાથી સ્ટ્રીટ લાઈટનો કેબલ બળી જતા અંધારપટ છવાયો હતો

હળવદ : હળવદ શહેરના ધાંગધ્રા રોડ પર આવેલ દશા માંના મંદિરથી ત્રણ રસ્તા સુધીના રોડ પરની તમામ સ્ટ્રીટ લાઈટો પાછલા એકાદ મહિનાથી બંધ હતી. જેને ચાલુ કરવા માટે સ્થાનિક રહીશો તેમજ પાલિકાના સદસ્ય દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી અને આખરે પાલિકા તંત્ર દ્વારા હાલ હળવદના પ્રવેશ દ્વારથી ત્રણ રસ્તા સુધીની સ્ટ્રીટ લાઈટોનો નવો કેબલ નાખવાની કામગીરી આરંભી દીધી છે.

અહીં ધાંગધ્રા રોડ પર ભવાની નગર વિસ્તાર, પંચમુખી ઢોરા વિસ્તાર, સુનિલ નગર, ક્રિષ્ના પાર્ક સહિતના વિસ્તારો આવેલા છે તેમજ શહેરમાંથી પણ વહેલી સવારે અને મોડી રાત્રીના આ રોડ પર લોકો ચાલવા માટે નીકળતા હોય છે પરંતુ એકાદ મહિનાથી રોડ પરની તમામ સ્ટ્રીટ લાઈટો કેબલ બળી જવાને કારણે બંધ રહેતા રોડ પરથી પસાર થતા રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડતી હતી.

- text

જેથી, વોર્ડ નંબર સાતના સ્થાનિક લોકો તેમજ પાલિકાના સદસ્ય દ્વારા પાલિકા તંત્રમાં રજૂઆત કરતા આખરે પાલિકા તંત્ર દ્વારા દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીની સ્ટ્રીટ લાઈટનો કેબલ બદલાવવાનું કામ હાલ ચાલુ કરી દીધું છે. જેથી, આવતા થોડા દિવસોમાં આ રોડ પર અજવાળા પથરાશે!

- text