મોરબીમાં 18 થી 44 વર્ષના લોકો માટે પેઇડ રસીકરણ શરૂ

- text


ક્રિષ્ના હોસ્પિટલમાં કોવીસીલ્ડ રસીના 1 ડોઝ ના રૂ.950 ચૂકવવા પડશે

મોરબી : મોરબી જિલ્લાના 18થી 44 વર્ષના નાગરિકોને સરકાર દ્વારા વિનામૂલ્યે રસી મુકવાનું શરૂ નથી થયું. પરંતુ ખાનગી હોસ્પિટલમાં પેઈડ રસીકરણ શરૂ કરાયું છે.

મોરબી જિલ્લાના 18થી 44 વર્ષના લોકો હાલમાં રાજકોટ કોરોના વેકસીન મુકવવા જઈ રહ્યા છે. ત્યારે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લાભાર્થીઓ માટે પેઇડ રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં કોવીસીલ્ડ રસીના ૧ ડોઝના રૂ. ૯૫૦ ચૂકવવાથી વેકસીનેશન થઈ શકશે.

કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે અને કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખૂબ જ અગત્યનું છે. સાથોસાથ કોરોનાથી બચવા માટેની જરૂરી સાવચેતી પણ જેમકે, યોગ્ય રીતે માસ્ક પહેરવું, વારંવાર સાબુપાણીથી ઘસીને હાથ સાફ કરવા, જરૂર પડ્યે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, વ્યકિત-વ્યકિત વચ્ચે સામાજીક અંતર રાખવું, બીનજરૂરી ઘરની બહાર જવું નહિ, ભીડભાડ કરવી નહિ કે ભીડભાડવાળી જગ્યાઓ ઉપર જવાનું ટાળવું વગેરે સાવચેતી રાખવા; તેમજ ૪૫ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો કોરોના રસીકરણ કરાવવામાં બાકી હોય તે લોકોને રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.

- text

હાલમાં મોરબી જિલ્લામાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો માટે કોરોના વેકશીનનાં પ્રથમ અને બીજા ડોઝ આપવા માટેની કામગીરી તમામ અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ તથા ડીસ્ટ્રીકટ હોસ્પીટલ મોરબી અને સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી તથા સબ સેન્ટર રવાપર ખાતેનાં સેન્ટરોમાં હાલ ચાલુ છે. આ સેન્ટરો ઉપર વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવે છે. કોરોના રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝમાં જે લાભાર્થીઓ બાકી હોય તેમને આ સેન્ટરો ઉપર જઈને કોરોના રસીકરણનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. જેમાં કોવેકસીન રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનો ગાળો અને કોવીસીલ્ડ રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડીયાનો ગાળો રાખવાની નવી ગાઇડલાઇનને અનુસરવા માટે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ. કતીરા દ્વારા તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

- text