નેશનલ અપડેટ : ધોરણ 12માં મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાય તેવી શકયતા

- text


મોરબી : કોરોના મહામારીને પગલે ધોરણ 10માં તમામ છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના શિક્ષણમંત્રી સાથે ધોરણ 12ની પરીક્ષા અંગે અગત્યની બેઠક યોજવામાં આવી છે.

- text

ધોરણ 12ની પરીક્ષા અંગે આજની બેઠકમાં નિર્ણય લેવાશે. ટોચના સૂત્રોના મતે ધોરણ12માં વિદ્યાર્થીઓની મુખ્ય વિષયની જ પરીક્ષા લેવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે અને જૂન માસના પહેલા કે બીજા અઠવાડિયામાં પરીક્ષા યોજાય તેવા સંકેતો વચ્ચે સીબીએસઇ બોર્ડ પણ મુખ્ય વિષયની પરીક્ષા લેવાના મતમાં હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

- text