માળીયાના ન્યુ નવલખી, વવાણીયા સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટોનું વિતરણ

- text


જયદીપ એન્ડ કંપની, શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી અને માળીયામાં વાવઝોડાની અસર થઈ છે. ત્યારે આ કુદરતી આફત વચ્ચે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સંવેદનાનું ઝરણું વહ્યું છે. જેમાં જયદીપ એન્ડ કંપની, શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર દ્વારા માળીયાના ન્યુ નવલખી, વવાણીયા સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

માળીયાની જયદીપ એન્ડ કંપની અને વવાણીયાના શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર સંસ્થા હાલ વાવઝોડાથી પીડિત લોકોને વહારે આવી છે. જેમાં જયદીપ એન્ડ કંપની દ્વારા અસરગ્રસ્તો માટે જરૂરી તમામ પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવી છે. માળીયાના વવાણીયા, ન્યુ નવલખી વિસ્તારના મીઠાના અગરિયાઓ તેમજ શ્રમિકો સહિતના તમામ અસરગ્રસ્ત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે આ અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયદીપ એન્ડ કંપની અને શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર એ કુદરતી આફત વચ્ચે અસરગ્રસ્તોને મદદ કરીને માનવ ધર્મ દિપાવ્યો હતો.

- text

- text