સંભવિત તૌકતે વાવાઝોડા અંગે ગાંધીનગર ખાતે કોર કમિટીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

- text


મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી મહત્વપૂર્ણ બેઠક 

સંભવિત દુર્ઘટનાઓ સામે સજ્જ થયેલી વ્યવસ્થા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ તકલીફ ન પડે એ માટેની વ્યવસ્થા ગોઠવવા પર ખાસ ભાર મુકાયો

મોરબી : ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી ઝીરો કેઝ્યુઆલીટી અને ઓછામાં ઓછા નુકશાન સાથેના અભિગમ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.

- text

એક તરફ કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ કે જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતાં દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આ બેઠકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજ કુમાર અને એમ. કે દાસ, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

- text