વાંકાનેરમાં પહેલી મે સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે

- text


વાંકાનેર : હાલના તબકકે ફાટી નિકળેલ રોગચાળા અને કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આગામી તા. 1 મે રવિવાર સુધી વાંકાનેર માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતી પ્રમાણે તા. 2ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. જેની વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી. તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોવાથી નવો માલ લાવવો નહીં, તેમ એ.પી.એમ.સી. વાંકાનેરના સેક્રેટરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text