મોરબીના સ્વ.એડવોકેટ પુનમચંદભાઈ કોટકના ધર્મપત્નીનું નિધન

- text


પુનમચંદભાઈની અણધારી વિદાય બાદ પુષ્પાબેને પણ અનંતની વાટ પકડતા કોટક પરિવારમાં શોક

મોરબી : મોરબીના સિનિયર એડવોકેટ પૂનમચંદભાઈ કોટકની અણધારી વિદાયના એક અઠવાડિયા જેટલા ટૂંકા સમયગાળામાં તેમના ધર્મપત્ની પુષ્પાબેને પણ અનંતની વાટ પકડતા કોટક પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

- text

મોરબીના પીઢ ભાજપ અગ્રણી અને સિનિયર એડવોકેટ & નોટરી સ્વ. પૂનમચંદભાઈ કોટકના ધર્મપત્ની પુષ્પાબેન કોટક (ઉ.વ. 79), તે એડવોકેટ નિકુંજભાઇ કોટક, વંદનાબેન શિરિશકુમાર પૂજારા (મુંબઈ) અને દિપ્તીબેન દર્શનકુમાર નથવાણી (કેનેડા) નાં માતુશ્રી તેમજ દક્ષભાઇ અને જયનાબેનના દાદી અને મુંબઈ નિવાસી સ્વ. ગોપાલજી ધરમશિભાઈ બદિયાનીના પુત્રી અને ભરતભાઈ સુરેશભાઈ તથા જીતુભાઈના બહેનનું તા. 19-03-2021 ના રોજ અવસાન થયેલ છે. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનુ ટેલીફોનીક બેસણું તા. 20-03-2021 ને શનિવારના રોજ રાખેલ છે. (સંપર્ક: નીકુંજભાઇ – ૯૮૯૮૨ ૫૫૫૮૪, દક્ષભાઈ – ૯૪૦૯૪ ૯૬૧૬૬, ચુનીભાઈ – ૯૪૦૮૭૨૫૯૭૭, ભરતભાઈ – ૯૮૭૦૦ ૦૦૪૯૯, નિશાબેન – ૯૪૦૮૧ ૮૭૫૦૦)

- text