મોરબીમાં હત્યા કરી લાશ દાટી દેવાના પ્રકરણમાં મૃતકની પત્ની સહિતના વધુ બે આરોપીની ધરપકડ

- text


 

મોરબી : મોરબીના કાંતિનગર ગામે યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ આ ધરતા આ યુવાનની હત્યામાં કુલ ચાર વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. જેમાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે. આ દરમિયાન આજે સાંજના અરસામાં વધુ બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

- text

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયાની હત્યા બાદ પોલીસે મૃતકના પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા અને તેના પ્રેમી જુમા સાંજણ માજોઠી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બાદમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. પોલીસે જુમા સાજણ માજોઠી અને સાગરીત શાહરુખ મહેબૂબભાઈની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બન્ને આરોપીના તા 8 ને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.બાદમાં પોલીસે આજે સાંજના અરસામાં ફરાર આરોપી શોયેબ ઇબ્રાહિમભાઈ માજોઠી ઉ.વ.19 અને યાસમીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અગેચણીઉઆ ઉ.વ.28 રહે બન્ને કાંતિનગર, જુબેદા મસ્જિદ પાસે, મોરબી-2 વાળાની પણ ધરપકડ કરી છે.

- text