વાંકાનેરનાં જોગજતી બાલાજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

- text


રણછોડદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિષ્ણુ યજ્ઞનો ભાવિકોએ લાભ લીધો

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરનાં ધમલપર પાસે આવેલ જોગજતી બાલાજી મંદિર ખાતે રણછોડદાસ બાપુની 35મી પુણ્યતિથિની નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેનો ભાવિકોએ લાભ લીધો હતો.

ગઈકાલે તા. 4ને ગુરુવારે જોગજતી બાલાજી મંદિર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિષ્ણુ યજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી જેવા અધ્યાત્મ સંસ્કાર મુલક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવિકોએ શ્રીવિષ્ણુયજ્ઞનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે જોગજતી બાલાજી મંદિર ખાતે પૌરાણિક ગુફા આવેલ છે અને જમીનથી નીચે બાલાજી બિરાજે છે.

- text

- text