મોરબીના લેખકનું પુસ્તક ‘વનવગડાની વનસ્પતિઓ ભાગ-2’ પ્રકાશિત થયું

- text


મોરબી : મોરબીના ગૌપ્રેમી અને પર્યાવરણનાં અભ્યાસુ પ્રાણજીવન કાલરીયા દ્વારા પર્યાવરણ સાહિત્યનાં માધ્યમથી પ્રકૃતિ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાના પ્રયાસરૂપે તાજેતરમાં પ્રકાશિત તેમના પાંચમાં પુસ્તક ‘વનવગડાની વનસ્પતિઓ ભાગ-2’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

- text

કોરોનાં કાળનો સદુપયોગ કરીને તૈયાર કરાયેલ સંસ્કૃતિ અને પર્યાવરણ રક્ષાના આ પ્રેરણાદાયી કાર્યને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની શુભેચ્છા અને મોરબીના સરસ્વતી નિકેતન આશ્રમના સ્વામી ભાણદેવનાં આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પુસ્તક પ્રાપ્તિ માટે મોબાઈલ નં. 94262 32400 પર પ્રાણજીવનભાઈનો સંપર્ક કરી શકાય છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

- text