મોરબી : મોઢાના કેન્સરની બીમારીથી કંટાળીને આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ પર આવેલ કામધેનુ રીસોર્ટ પાછળ રહેતા આધેડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતુ. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મોઢાના કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પર કામધેનુ રીસોર્ટ પાછળ આવેલ બાલાજી હોમ્સ- ૩૦૨ માં રહેતા મનસુખભાઇ હંસરાજભાઇ રાણીપા પટેલ (ઉ.વ.૫૧) એ ગઈકાલે તા.૧૫ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતુ. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનસુખભાઇ હંસરાજભાઇ રાણીપાએ મોઢાના કેન્સરની તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text