મોરબી : આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફના કોવીડ-19 ટેસ્ટ કરાયા

- text


મોરબી : ગઇકાલે તા. 27ના રોજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદર્શ નિવાસી શાળા (વી.જા.) કુમાર – રફાળેશ્વરના ધો. 10 તથા 11ના કુલ 87 વિદ્યાર્થીઓ તથા તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફના 9 સભ્યો એમ કુલ 96 સભ્યોનો કોવીડ-19 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ લોકોના રીપોર્ટ નેગેટિવ આવેલ હતા. આ ટેસ્ટ માટે એલ. વી. લાવડિયા, આચાર્ય એસ. બી. બારૈયા તથા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text