મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા ગત તા. 10ના રોજ રવિવારે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9થી કોલેજ સુધીના 123 વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લીધે આ વર્ષે મંડળ દ્વારા માત્ર ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા નહતા. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text