હળવદ માર્કેટ યાર્ડમાં કાલે શુક્રવારે હરરાજીનું કામ બંધ રહેશે

- text


 

૨૫ ડિસેમ્બરના રોજ નાતાલ હોય જેના કારણે યાર્ડમાં હરરાજી કાર્ય બંધ

હળવદ: આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં નાતાલ નિમિત્તે હરરાજીનું કામકાજ બંધ રહેવામાં આવનાર હોવાનું યાર્ડ દ્વારા જણાવાયું છે.

આવતીકાલે ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલ હોય જેને કારણે હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેવામાં આવનાર હોવાનું અને શનિવારથી રાબેતા મુજબ હરરાજી નું કાર્ય ચાલુ રહેશે તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું છે જેથી તાલુકાના તેમજ માર્કેટયાર્ડમાં વિવિધ ઝણસ લઈ આવતા ખેડૂતોને નોંધ લેવા અપીલ કરવામાં આવી છે

- text

સીસીઆઇ દ્વારા ત્રણ દિવસ કપાસની ખરીદી બંધ રહેશે

આવતીકાલે ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલ ની જાહેર રજા હોય તેમજ શનિ-રવિ સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદવામાં આવતો નથી એટલે હળવદ માર્કેટ યાર્ડમાં સી.સી.આઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે તે શુક્ર શનિ અને રવિ એમ ત્રણ દિવસ બંધ રહેશે સાથે સોમવારથી રાબેતા મુજબ સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

- text