મોરબીમાં પગપાળા જતી મહિલાને હડફેટે લઈ મોત નિપજાવનાર રીક્ષા ચાલક ઝડપાયો

- text


પોલીસે પોકેટ કેપ એપ્લિકેશન મદદથી રીક્ષાને ઓળખી આરોપીને દબોચી લીધો

મોરબી: મોરબીના મણિ મંદિર સામે આવેલ શંકરબાગના ગેટ પાસે ત્રણ દિવસ પહેલા એક અજાણ્યો રીક્ષા ચાલક સાંજના સમયે સરોજબેન મહેશભાઈ આચાર્ય નામની મહિલાને ઠોકર મારી ફરાર થઈ ગયો હતો. મહિલાને માથાના ભાગે હેમરેજ થઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે નોંધાયેલ ફરીયાદ આધારે એસ.પી ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાને આધારે એ ડિવિઝન પી.આઈ બી.જી સરવૈયાના માર્ગદર્શનમાં પી.એસ.આઇ ચુડાસમાં,હેડ કોન્સટેબેલ કિશોરભાઈ મિયાત્રા,અજીતસિંહ પરમાર,ભાવેશભાઈ મિયાત્રા સહિતના એ આરોપીની અલગ અલગ એંગલથી તપાસ કરી શોધખોળ હાથ ધરી હતી દરમિયાન ઘટનાની આસપાસ લાગેલા સીસીટીવીમાં.ઘટના કેદ થઈ હતી જેમાં દેખાયેલ રીક્ષાના નમ્બર પરથી પોકેટ કેપ એપ્લિકેશન મદદથી તપાસ કરી હતી જેમાં રીક્ષામાં શિવભાઈ વસંતભાઈ ભૂંસાલ ચલાવતા હોવાનું ખુલ્યું હતું. તપાસ આધારે આરોપી રીક્ષા ચાલક ને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

- text