મોરબીના લખધીરપુરથી કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ રહેશે

- text


 

મોરબી : લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી રસ્તો તાત્કાલીક અસરથી બંધ કરેલ હોય જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યા સુધી ડાયવર્ઝન ની કામગીરી શક્ય ન હોય વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

- text

જાહેરનામા અનુસાર તા.૧૪મી ઓક્ટોબર સુધી લખધીરપુરથી કાલિકાનગર જવા માટેના રસ્તા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ રસ્તાના વિકલ્પે કાલિકાનગર જોઈનીંગ નીચીમાંડલ, રાતાભેર રોડ (કાલિકાનગર જવા માટે)નો ઉપયોગ કરી શકશે.આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર બનશે.

- text