કોરોનામુક્ત થતા વવાણીયા કુબેર ભંડારી દાદાને ધજા ચડાવી માન્યો આભાર

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ કુબેર ભંડારી દાદાના મંદિરે ગામ લોકોએ જયદીપ ગ્રુપના અશ્વિનસિંહ અને તેના પરિવાર માટે કોરોનાથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી અને ધજા ચડાવવાની માનતા રાખી હતી. અશ્વિનસિંહ જાડેજા (જયદીપ કંપની) અને તેના મોટાભાઈ ઉદયસિંહ જાડેજા અને તેનું કુટુંબ કોરોનાથી મુક્ત થતા દાદા કુબેર ભંડારીનો આભાર માન્યો હતો. અને અશ્વિનસિંહ જાડેજાના હાથે જ ધજા ચડાવી હતી. સાથે વવાણીયા સુન્ની મુસ્લિમ જમાતે અશ્વિનસિંહની સાકર તુલા કરી હતી.

- text

- text