- text
રાતના સમયમાં રોડ વચ્ચે પડેલા માટીના ઢગલાના કારણે અકસ્માતનો ભોગ બનીને અનેક લોકો થયા ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી પાસે આરટીઓ નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર વચોવચ માટીના ઢગલા કરી દેવામાં આવતા અનેક અકસ્માતના બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી તંત્ર કોઈ જાનહાની સર્જાઈ તે પૂર્વે ત્વરિત આ અંગે કાર્યવાહી કરે તે જરૂરી છે.
- text
મળતી માહિતી અનુસાર મોરબીમાં માળિયા તરફ જવાના નેશનલ હાઇવે ઉપર આરટીઓ પાસે રોડની વચ્ચે કોઈ માટીના ઢગલા નાખી ગયું છે. જેથી આ રોડ ઉપર અકસ્માતનું જોખમ મોટા પ્રમાણમાં છે. રાતના સમયમાં વાહનચાલકોને આ માટીના ઢગલા દેખાતા ન હોય અનેકવિધ અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતનો ભોગ બનીને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. માટે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
- text