ચાલુ ફરજે મૃત્યુ પામેલ પોલીસકર્મીને તેમના વતન વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ

- text


વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા પોલીસ જવાનનું રાજકોટ ખાતે ચાલુ ફરજ દરમિયાન અકસ્માતે મૃત્યુ થયુ હતુ. તેમને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસ અશ્વિનભાઇ પોપટભાઇ મદ્રેસાણીયા (ઉ.વ. 54) ચાલુ ફરજે હતા ત્યારે એરપોર્ટ પાસે અકસ્માતમાં મોત થયુ હતું. જેથી, પીએસઆઇ પટેલ સહિતનાની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેઓ વાંકાનેરના કુભારપરા વિસ્તારમાં ગાયત્રી ચોક ખાતે રહેતા હતા. મિલનસાર સ્વભાવના પોલીસ જવાન અશ્વિનભાઇ પોપટભાઇ મદ્રેસાણીયાના ચાલુ ફરજે અકાળે અવસાનથી પોલીસ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

- text

- text