મોરબી : તંત્રની મંજૂરી સાથે તબીબ યુગલે આર્યસમાજ વિધિથી પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


મોરબી : મોરબીમાં રહેતા રણછોડભાઈ વિઠ્ઠલભાઈ લીખીયાના પુત્ર ડો. હિમાંશુ (MBBS) તથા હરજીવનભાઇ ગોકળભાઇ અમૃતિયાની પુત્રી ડો. નિશા (MBBS) સાથે આર્યસમાજ વિધિથી લગ્નગ્રંથિમાં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. હાલમાં આ નવયુગલ બંને મોરબીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. આ લગ્ન પ્રસંગ તંત્રની મંજૂરી સાથે યોજાયો હતો. કોરોના વાયરસના પગલે પ્રશાસનના નિયમ મુજબ બંને પક્ષના માત્ર 10-10 કુટુંબીઓની ઉપસ્થિતિમાં લગ્ન લેવાયા હતા. તેમજ દરેક લોકોએ માસ્કનો ઉપયોગ કર્યો હતો. તથા સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.

- text