મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા શનાળા રોડ પર સૅનેટાઇઝ છંટકાવ અભિયાન હાથ ધરાયુ

- text


મોરબી : ‘મારુ મોરબી, સ્વચ્છ મોરબી’ સૂત્ર હેઠળ કાર્યરત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે લોકડાઉનની પરિસ્થિતિમાં સમિતી દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ હાલમાં મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા ‘ચાલો આપણા મોરબીને કોરોનાથી બચાવીએ’ સૂત્ર હેઠળ મોરબી શહેરમાં સૅનેટાઈઝ છંટકાવ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text

જે અંતર્ગત ગત તા. 19ના રોજ બાપાસીતારામ ચોક ખાતે સૅનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ગઈકાલે તા. 20ના રોજ બુધવારે સાંજે 4 થી 5 દરમિયાન સુપર માર્કેટ, માધવ માર્કેટ, પટેલ શોપિંગ તથા શનાળા રોડ ખાતે સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સમિતિના થોડા સભ્યો દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

- text