લજાઇના યુવકે સેવાપ્રવૃત્તિ થકી જન્મદિવસની ઉજવણી કરી

- text


ટંકારા : લજાઈના R. B. Brothers ગ્રુપના રાજ પંડ્યા દ્વારા તેમના જન્મદિવસની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. તેના દ્વારા જન્મદિન નીમીતે અનાથ આશ્રમમાં 17 મણ અનાજ આપવામાં આવ્યુ હતુ તથા ગાયોને 17 કિલો ઘાસચારો આપવામાં આવ્યો તથા ગરીબોની જઠરાગ્નિ ઠારી હતી. ઉલ્લેખનીય છે કે રાજ પંડ્યા દ્વારા અવારનવાર આવા ઉમદા કાર્ય કરવામાં આવે છે. અને સમાજના લોકોને સેવાભાવના કર્મ તરફ દોરવામા આવે છે. તેમજ તેઓએ હાલની પરીસ્થિતી મુજબ જરૂરિયાતમંદને વધુમાં વધુ મદદ કરવા તથા ‘stay home, stay safe’ના સૂત્રને અનુસરવા વિનંતી કરેલ છે.

- text