યુપી વતન જવા ન મળતા લીલાપરમાં સગીરાનો આપઘાત

- text


મોરબી : હાલ મોરબીમાં લોકડાઉન ચાલુ છે. તંત્ર દ્વારા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ લોકડાઉનમાં યુપી વતન જવા ન મળતા લીલાપરમાં રહેતી શ્રમિક સગીરાએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લીલાપર ગામમાં અવધ પેકેજીંગના કારખાનામાં મજૂરી કામ કરતા સોનુભાઇની સાળી મીનાકુમારી ગુલાબસિંહ રાજભર (ઉ.વ. 16) એ કારખાનાની બાજુમાં આવેલા પાણી ભરેલા ભાડીયા કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જેથી, તેના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં મૃતક મીનાકુમારી યુપીમાં પોતાના વતનમાં જવા માટે ઇચ્છતી હતી પરંતુ લોકડાઉન હોવાથી જઈ શકતા ન હોવાના કારણે તેણે આપઘાત કરી લીધો હતો.

- text