કોરોના વોરિયર્સ : સુરતમાં કોરોના દર્દીઓની સારવાર કરતા મોરબીના વતની ડો. યશ છનિયારા

- text


મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ગુજરાતમાં પણ ભરડો લીધો છે. કોરોનના સંક્રમણને અટકાવવા બીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ આ કોરોનાના સંકટ વચ્ચે મેડિકલ સ્ટાફ સતત દિવસ-રાત ખડેપગે છે. તેમજ તેઓ જીવના જોખમે આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે.

- text

ત્યારે ટીમ્બડી ગામમાં રહીશ દુર્લભજીભાઈ છનિયારાના પુત્ર ડો. યશ છનિયારા (MBBS , MS GENERAL SURGERY) પણ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ કોરોનાના કહેર વચ્ચે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓનો ઈલાજ કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. તેથી, સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતા ટીમ્બડીના વતની ડો. યશ છનિયારા માટે તેમના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી તેઓનું સ્વાસ્થ્ય સલામત રહે તેવી પ્રાર્થના કરેલ છે.

- text