જાંબુડિયા, રફાળેશ્વર તથા અમરેલી ગામમાં સૅનેટાઇઝિંગ કરાયું

- text


મોરબી : કોરોના વાઇરસને લીધે અત્યારે જે વૈશ્વિક મહામારી ઉભી થઇ છે. તેને પહોંચી વળવા અને તેનાથી બચવા દરેક સ્થળોએ સૅનેટાઇઝિંગ કરવું જરૂરી છે. જાંબુડિયા ગામમાં પૂર્વ સરપંચ દ્વારા, અમરેલી ગામમાં યુવાનો દ્વારા તથા રફાળેશ્વરમાં પણ ગ્રામજનોના સહયોગથી ગામના જાહેર રોડ-રસ્તા, શેરી-ગલીઓ તથા વિવિધ સ્થળો સહીત સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું.

- text