વાંકાનેર : યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું

- text


વાંકાનેર : ગઈકાલે તા. 15 એપ્રિલના રોજ વાંકાનેરના જીનપરા ટાઉનમાં રહેતા 30 વર્ષીય પ્રદિપભાઇ મનોહરભાઇ એ અજાણ્યા કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. બાદમાં તેઓના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની નોંધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text