મોરબીમાં ગરીબોને ભોજન કરાવી ડો. બાબા સાહેબની જન્મજયંતિ ઉજવાઈ

- text


મોરબી : કોરોના વાયરસ સંક્રમણના કારણે જે હાલ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જેના લીધે મોરબી શહેર વિસ્તારના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર મનુભાઈ સારેસા દ્વારા વિસ્તારમાં રહેતા ગરીબ નિરાધાર ૪૦૦થી પણ વધારે લોકોને રોજ જમવાનું ટિફિન ઘરે ઘરે પહોંચાડી સેવાકીય કામગીરી કરવામાં આવી રહેલ છે. આ ટિફિન તા.૨૯-૩-૨૦૨૦ થી શરુ કરવામાં આવેલ છે. ત્યારે 14મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૯મી જન્મ જયંતી અનુસંધાને કલેકટર ઓફિસ મોરબીમાં ફરજ બજાવતા હરેશભાઈ ચૌહાણ તરફથી બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી અનુસંધાને ૪૦૦થી પણ વધારે ગરીબ લોકોને જમાડી ખરા અર્થમાં બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી.

- text