કોરોના સામેની લડતમાં મોરબીના KCC ગ્રુપ દ્વારા રૂ. 15 લાખનું આર્થિક યોગદાન

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ સીરામીક ઉદ્યોગકારોને પોતાનું આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે. ત્યારે અનેક સીરામીક ઉદ્યોગકારોએ દાનની સરવાણી વહાવીને અનુદાનની રકમનો આંક કરોડોને પાર પહોંચાડ્યો છે. જેમાં મોરબીના KCC ગ્રુપ દ્વારા PM કેર્સ ફંડ અને CM રિલીફ ફંડમાં કુલ રૂ. 15 લાખનું દાન આપ્યું છે. જેના દ્વારા કોરોના સામેની લડતમાં KCC ગ્રુપે પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે.

- text