હજનાળી ગામે ઈશરદાસજી બારહટ મહાપ્રયાણ મહોત્સવનું 2જી એપ્રિલે આયોજન

- text


મોરબી : મોરબીનાં હજનાળી ગામમાં આગામી તા. 2 એપ્રિલ ગુરૂવારે રામનવમીનાં રોજ ગઢવી સમાજ દ્વારા પુ. ઈશરદાસજીનાં 454માં મહાપ્રયાણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હરિરસ સભા, મહાપ્રસાદ, તથા રાત્રે ગઢવી સમાજનાં પ્રસિધ્ધ કલાકારોનાં મુખે સંતવાણી-ડાયરો યોજાશે. આ તકે સમિતિનાં સંયોજક ડો. કિશોરદાન ગઢવી દ્વારા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

- text