- text
વાંકાનેર : હાલમાં કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં દહેશતનો માહોલ છે.ત્યારે કોરના વાયરસનો ખતરો ટાળવા માટે સરકાર અને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વાંકાનેરમાં પણ તંત્ર એલર્ટ મોડ ઉપર છે.ત્યારે ભીડનું જોખમ ટાળવા માટે વાંકાનેર યાર્ડ આજથી 31 માર્ચ સુધી બંધ રાખવાની સતાવર જાહેરાત કરવામાં આવી છે.અને 31 માર્ચ સુધી વાંકાનેર યાર્ડ બંધ રહેશે.જેની ખેડૂતો સાહિતનાએ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.
- text