વાંકાનેરના દિગંબર જૈન સંઘ દ્વારા સમ્યક જયંતિ મહોત્સવ ઉજવાયો

- text


વાંકાનેર : વાંકાનેરના દિગંબર જૈન સંઘ દ્વારા પૂ. ચંપાબહેનના 88મી સમ્યક જયંતિ મહોત્સવ અન્વયે આજે તા. 14ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ભવ્ય રથયાત્રા દ્વારા સમક્તિધામ ભાવિકો વાજતે-ગાજતે ગયા હતા. આ પ્રસંગે સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ વોરા, મધુભાઈ શાહ, અશોકભાઈ વાધર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહારગામથી 600થી વધુ મુમુક્ષુઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલ તા. 15 થી 18 સુધી ચાર દિવસ સોનગઢ ગામે ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.

- text