ટંકારાની આર્ય વિદ્યાલયમાં કોરોના વાઈરસ અંગેનો સેમિનાર યોજાયો

- text


ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમ્ ખાતે શનિવારના રોજ અત્યારની વર્તમાન પરિસ્થિતિને પડકારજનક કોરોના વાઈરસ અંગેની સમજ બાળકોમાં આવે તે હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રમેશભાઈ કૈલા દ્વારા વિદ્યાર્થીઓને કોરોના વાઈરસ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં વાઈરસ કઈ રીતે ફેલાઈ છે? તેનું નામ શા માટે કોરોના રાખવામાં આવ્યું હતું? તેનાથી બચવા માટે શું શું કરવું જોઈએ, તે વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં કોરોના વાઈરસ અંગે જાગૃતતા આવે તે માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને કપૂર, લવીંગ, એલચી, સુંઢનું મિશ્રણ કરીને પોટલીઓ બનાવીને આપવામાં આવી હતી.

- text