મોરબીમાં બીમારીથી કંટાળી યુવકનો કૂવામાં ઝંપલાવી આપઘાત

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા એક યુવકે બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- text

મોરબીમાં ગઈકાલે રમેશ હેમંતસિંગ ચૌહાણ (ઉ.વ. 25, મૂળ રહે. લીમડી, ગુંદીયાણા ગામ)એ બીમારીથી કંટાળી લીલાપર રોડ સ્થિત વનરાજ નળીયાના કારખાનાના ગ્રાઉન્ડમાં આવેલ કુવામાં પડતું મુકતા, તેનું મોત નિપજયુ હતુ. મૃતકે છેલ્લા ઘણા સમયથી શ્વાસ અને બીપીની તકલીફ હોય તેમજ પેટમાં પાણી ભરાતું હોય તેના લીધે કંટાળી જઈને તેણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવ નોંધી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

- text