મોરબી : NSUI દ્વારા બોર્ડની પરીક્ષાના સમય મુજબ ST બસનો સમય રાખવા અપીલ

- text


મોરબી : NSUI દ્વારા બોર્ડની પરીક્ષાના સમય મુજબ ST બસનો સમય રાખવા ડેપો મેનેજરને અપીલ કરવામાં આવી છે.

- text

મોરબીના નેશનલ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા મોરબી એસ.ટી. ડેપોના મેનેજરને રૂબરૂ પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ રજુઆતમાં આગામી તા. ૫/૩/૨૦૨૦ થી શરૂ થઈ રહેલ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સહેલાઇથી પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી અને તેમનો સમય ન બગડે તેવા હેતુથી વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસના સમયમાં ફેરફાર કરી બસ પરીક્ષા સમય એ પહોંચી શકે તેવો સમય રાખવા માંગણી કરવામાં આવી છે.

- text