રાતાવીરડામાં લગ્ન ના થતા હોવાના કારણે યુવકનો આપઘાત

- text


વાંકાનેર : રાતાવીરડા ગામ પાસે આવેલા નેકસોના સીરામીકમાં મજૂરી કામ કરતા મૂળ કચ્છના કુકશી ગામના રહેવાસી પ્રકાશ ઉર્ફે ડુંગરસીંગ પાનસીંગ ડાયરએ લગ્ન ના થતા હોવાના કારણે સતત ચિંતામાં તથા ટેન્શનમાં રહેતો હોવાના લીધે આપઘાત કર્યો હતો. પોતાની જાતેથી ઝેરી દવા પી લેતા બેભાન થઇ જવાના લીધે સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text