મોરબીમાં કાલે રવિવારે પુસ્તક પરબ અંતર્ગત પુસ્તક પરિચય અપાશે

- text


મોરબી : મોરબીના સરદાર બાગ, શનાળા રોડ ખાતે આવતીકાલે તા. 2 ફેબ્રુઆરીના રોજ પુસ્તક પરબ અંતર્ગત લેખક ડો. ચિંતન વૈષ્ણવ દ્વારા લિખિત પુસ્તક ‘તેજોવધ’ અંગે વક્તા રોહન રાંકજા દ્વારા સવારે 9થી 11-30 વાગ્યા દરમિયાન પુસ્તક અંગે પરિચય આપવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા સાહિત્યપ્રેમી લોકોને લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text