રાજકોટની દર્શન એન્જિનિયરીંગ કોલેજ દ્વારા મોરબીના શિક્ષકો માટે સેમિનાર યોજાયો

- text


મોરબી : રાજકોટની દર્શન એન્જિનિયરીંગ કોલેજ દ્વારા મોરબીમાં ગઈકાલે તારીખ ૨૮-૦૧-૨૦૨૦ સાંજે ૭ વાગ્યે ઝાયકા હોટેલ ખાતે મોરબીની તમામ સ્કૂલના શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં દર્શન કોલેજના પ્રોફેસર નિલેશ ગાંભવાએ ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમોની માહિતી આપી હતી. આ ઉપરાંત, ગ્રેજ્યુએશન કર્યા બાદ કેવા પ્રકારની તકો મળશે એની માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાને આધારે ગ્રુપ અને કેરિયરનો નિર્ણય કેવી રીતે કરવો એ ચર્ચા પણ કરવામાં આવી હતી. દેશમાં શું બદલાવ આવી રહ્યો છે, ક્યાં ફિલ્ડમાં તકો ઘટી રહી છે અને ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે, ભવિષ્યમાં કેવા પ્રકારની તકો નું નિર્માણ થશે. આ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જિનિરીંગ, મેડિકલ, પેરામેડિકલ, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, BSc, ફાર્મસી વગેરે અભ્યાસ્ક્રમોની માહિતી આપવામાં આવી હતી. તેમજ JEE (Advanced), JEE (Main) , GUJCET વગેરે પરીક્ષાઓની ચર્ચા કરવામાં આવી હતી.

- text

સેમિનારમાં મોરબીના સ્વંસંચાલિત શાળાઓના પ્રમુખ મનોજ ઓગણજાં, નિર્મલ સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશ કુંડારીયા, નાલંદા વિદ્યાલયના પ્રિન્સિપાલ ગામી સાહેબ, નવયુગ સાયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ સાહેબ અને મોરબીની તમામ સ્કૂલ્સના શિક્ષકોએ હાજરી આપી હતી.

- text