મોરબીમાં સામા કાંઠે ઉભરાતી ગટર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીમાં સામા કાંઠે ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ અસહ્ય દુર્ગંધના કારણે રસ્તા પરથી પસાર થનારાઓને મુશ્કેલી પડી રહી છે.

- text

મોરબીમાં વરાજ ટાવર મહેન્દ્રસિંહજી હોસ્પીટલથી ત્રાજપર ચોકડી પાસે ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી ત્રાજપર ચોકડીથી ગેંડા સર્કલ સુધી રસ્તા પર ઠેરઠેર ગટર ઉભરાતી હોવાના કારણે વેપારી તથા આસપાસના લોકોને ગટરના ગંદા પાણી વચ્ચે પસાર થવું પડે છે. તેમજ દુર્ગઁધ મારતા ગંદા પાણીથી અસહ્ય મુશ્કેલી સર્જાય રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ સમસ્યા બાબતે તાત્કાલિક ધ્યાન દોરી ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવા લોકમાંગ ઉઠી છે.

- text